ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ
1.સી.આર.પી.સી કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિ પણ ગુનેગારોની ધરપકડ કરી શકે છે?
જવાબ:-સી.આર.પી.સી કલમ 43
2.સી.આર.પી.સી ની કઈ કલમ મુજબ કોગ્નિઝેબલ ગુનાના કેસોમાં તપાસ કરવાની સત્તા પોલીસ અધિકારીની સત્તા છે?
જવાબ:-સી.આર.પી.સી કલમ 156
3.સી.આર.પી.સી ની કઈ કલમ મુજબ પોલીસ અધિકારી વ્યક્તિની વગર વોરંટે ધરપકડ કરી શકે છે.?
જવાબ:-CRPC કલમ 41
4.CRPC ની કઈ કલમ મુજબ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે.?
જવાબ:-CRPC કલમ 161
5.કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ CRPC ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે.?
જવાબ:-CRPC કલમ 151
6.ક્રીમીનલ પ્રોસિજર કોડના કાયદા મુજબ કોઈપણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે?
જવાબ:-હાઈકોર્ટને
7.ક્રીમીનલ પ્રોસિજર કોડની કલમ 173 કઈ બાબત અંગેની છે.?
જવાબ:- અન્વેષણ પૂરું થયા બાદ પોલીસ અધિકારીનો અહેવાલ
8.CRPC ની કઈ કલમ હેઠળ પોલીસ અધિકારીને અન્વેષણ પરથી કોઈ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળે તો તેને કસ્ટડીમાંથી મુકત કરવાની જોગવાઈ છે.?
જવાબ:-CRPC કલમ 169
9.પબ્લિક પ્રોસીકયુટર માટેના નામોની પેનલ કોણ નક્કી કરે છે.?
જવાબ:-જિલ્લા મેજીસ્ટ્રેટ
10.સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીને આધીન છે.?
જવાબ:-હાઈકોર્ટ
11.વોરંટ કેસ એટલે શું?
જવાબ:-ફાંસી,આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો
12.નિગૃહણીય ગુનો(કોગ્નિઝેબલ ગુનો એટલે શું?
જવાબ:- જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે
13.પબ્લિક પ્રોસીકયુટરની નિમણુંક ક્રીમીનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ થાય છે.?
જવાબ:-CRPC કલમ 24
14.ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે.?
જવાબ:-7 વર્ષ
15.ક્રીમીનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં "તાજના સાક્ષીની જોગવાઈ કરવામાં આવી છે.?
જવાબ:-CRPC કલમ 306
16.ક્રીમીનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ આરોપીએ પોલીસ સમક્ષ કરેલ નિવેદન કે તેની નોંધ પુરાવામાં સ્વીકાર્યતા નથી?
જવાબ:-CRPC કલમ 162
17.બિનવારસી મળેલ મિલ્કતને ક્રીમીનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ કબજે કરી શકાય?
જવાબ:-CRPC કલમ 102
18.પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઈ ક્રીમીનલ પ્રોસિજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે?
જવાબ:-પ્રકરણ 12
19.ક્રીમીનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ પોલીસ ગુનો બન્યાની નોંધ કરે છે?
જવાબ:-CRPC કલમ 154
20.ક્રીમીનલ પ્રોસિજર કોડના કાયદા મુજબ જો અન્વેષણ 24 કલાકમાં પૂરું થઈ શકે તેમ ન હોય તો કલમ 167 અન્વયે પોલીસ અધિકારી કઈ માંગણી કરી શકે છે?
જવાબ:- રિમાન્ડની
21.ક્રીમીનલ પ્રોસિજર કોડના કાયદા હેઠળ કોઈ વ્યક્તિએ ગુનો કર્યો ન હોય પરંતુ ગુનો કરે તેવી શકયતા હોય તો તેની પાસેથી સુલેહ અંગે વધુમાં વધુ કેટલા વર્ષ માટે બોન્ડ લઈ શકાય?
જવાબ:-ત્રણ વર્ષ
22.ક્રીમીનલ પ્રોસિજર કોડની કલમ 197 થી 110 અંતર્ગત કોન આદેશો આપી શકે છે?
જવાબ:-એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ
23.ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે?
જવાબ:-ધરપકડનું કારણ
24.જયારે કોઈ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રીમીનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે?
જવાબ:- સી.આર.પી.સી કલમ 41
25.આત્મહત્યા,ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રીમીનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે?
જવાબ:-CRPC કલમ 174
26.F.I.R નું પૂરું નામ શું છે?
જવાબ:- First Information Report
27.ક્રીમીનલ પ્રોસિજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની,બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે?
જવાબ:-સી.આર.પી.સી કલમ 125
28.અગૃહણીય ગુનો એટલે શું?(નોન કોગ્નિઝેબલ ગુનો)
જવાબ:- એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી
29.પોલીસ તપાસ પશ્ચાત ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ કેસને સંબંધિત અહેવાલ (ચાર્જશીટ)કોર્ટમાં મોકલવામાં આવે છે?
જવાબ:-સી.આર.પી.સી કલમ 173
30.ક્રીમીનલ પ્રોસિજર કોડ 1973 નીચે તપાસનો પાયો નીચેનામાંથી કોને કહેવાય?
જવાબ:-પ્રથમ માહિતી રિપોર્ટ(FIR)
31.સેશન્સ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ મૃત્યુદંડની કાર્યવાહીની પુષ્ટિ હેતુ માટે કયા રજૂ કરવામાં આવે છે?
જવાબ:-વડી અદાલત સમક્ષ
32.અપવાદરૂપ સંજોગો સિવાય કોઈપણ સ્ત્રીની ધરપકડ સૂર્યાસ્ત બાદ તથા સૂર્યોદય પહેલા કરી શકશે નહી. આ કલમ ક્રીમીનલ પ્રોસિજર કોડમાં કયા વર્ષથી ઉમેરવામાં આવી છે?
જવાબ:-2005
33.કોઈ ગુનો એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અગર જયુડિશિયલ મેજીસ્ટ્રેટની હાજરીમાં થયેલ હોય તો તેઓ ગુનો કરનાર વ્યક્તિને પકડી શકે છે. આ સત્તા ક્રીમીનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં આપવામાં આવે છે?
જવાબ:-સી.આર.પી.સી કલમ 44
34.એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે?
જવાબ:-રાજય સરકાર
35.ક્રીમીનલ પ્રોસિજર કોડ અધિનિયમ 1973ની જોગવાઈ અનુસાર જડતીનું વોરંટ કોણ કાઢી શકે છે?
જવાબ:-કોઈપણ ન્યાયાલય
36.સને 2005 સંશોધન દ્વારા ક્રીમીનલ પ્રોસિજર કોડની જોગવાઇ અનુસાર સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં કોઈ સ્ત્રીની ધરપકડ ન કરી શકાય. અમુક અપવાદરૂપ સંજોગોમાં કોની પરવાનગીથી ધરપકડ કરી શકાય?
જવાબ:- પ્રથમ વર્ગ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ
37.કોઈ વ્યક્તિ સુલેહનો ભંગ કરે અથવા જાહેર સુલેહમાં શાંતિમાં ખલેલ પહોંચાડે તેવી શક્યતા હોય, તો શાંતિ જાળવી રાખવા માટે જામીન સાથે કે વગરનો મુચરકો આપવાનો હુકમ ક્રીમીનલ પ્રોસિજર કોડની જોગવાઇઓ મુજબ નીચે પૈકી કયા મેજીસ્ટ્રેટ આપી શકે?
જવાબ:- કાર્યપાલ મેજીસ્ટ્રેટ
Comments
Post a Comment