ગુજરાતનો ઈતિહાસ

1.ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ગાંધીજીએ કેટલા સમય સુધી સેવા બજાવી હતી ?

જવાબ:-ઈ.સ. ૧૯૨૦ થી ૧૯૪૮

2.ગુજરાતનું સૌપ્રથમ માસિક કયું છે ?

જવાબ:-બુદ્ધિપ્રકાશ

3.ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો પ્રસારણ ક્યાં શરૂ થયું હતું ?

જવાબ:-વડોદરા

4.ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર કોણ હતું ?

જવાબ:-ફરદુનજી મર્ઝબાન

5.જુનાગઢમાં સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?

જવાબ:-પુષ્પગુપ્ત

6.ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા હતા ?

જવાબ:-ચાવડા વંશ

7.છત્રપતિ શિવાજીએ સુરત પર કેટલી વાર લુંટ ચલાવી હતી ?

જવાબ:-બે વાર

8.આધુનિક વડોદરાનો વિકાસ ક્યા રાજવીને આભારી છે ?

જવાબ:-સયાજીરાવ ગાયકવાડ

9.દાંડિયો નામનું પાક્ષિક કોણ ચલાવતું હતું ?

નર્મદ

10.ગાંધીજીએ સૌપ્રથમ ગુજરાતમાં કોના પક્ષોના નિરાકરણ માટે ઉપવાસ કાર્યા હતા ?

જવાબ:-મિલમજુરોના

11.અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે થઇ હતી ?

જવાબ:-૧૯૨૦

12.ગાંધીજીને અંગ્રેજ લેખક રસ્કિનના ક્યા પુસ્તકમાંથી પ્રેરણા મળી હતી ?

જવાબ:-અન ટુ ધ લાસ્ટ

13.‘આરઝી હકુમત’ નું સંચાલન ક્યાંથી કરવામાં આવતું હતું ?

જવાબ:-રાજકોટ

14.અમદાવાદમાં બ્રિટિશ હકુમતનો પ્રારંભ ક્યારથી થયો ?

જવાબ:-ઈ.સ. ૧૮૧૮

15.અમદાવાદમાં પ્રથમ કાપડની મીલ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

જવાબ:-ઈ.સ. ૧૮૬૧

16.આનર્ત પ્રદેશ નામે ઓળખાતો વિસ્તાર કયો ?

જવાબ:-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર

17.જુનાગઢના સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું ?

જવાબ:-રુદ્રદામા

18.સિદ્ધરાજ જયસિંહ કોના શિષ્ય હતા ?

જવાબ:-હેમચંદ્રાચાર્ય

19.મહંમદ ગઝનવીએ સોમનાથ પર ચડાઈ ક્યારે કરી હતી ?

જવાબ:-ઈ.સ. ૧૨૦૬

20.જયસિંહની માતા મીનળદેવી મૂળ ક્યા રાજ્યના હતા ?

જવાબ:-કર્ણાટક

21.ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સત્તાની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-અહમદશાહે

22.સિદ્ધરાજે જુનાગઢના ક્યા રાજા સાથે યુદ્ધ કર્યું હતું ?

જવાબ:-રા’ખેંગાર

23.ગુજરાતના અકબર તરીકે કોણ ઓળખાય છે ?

જવાબ:-મહંમદ બેગડો

24.નવઘણ કુવો ક્યા શહેરમાં આવેલો છે ?

જવાબ:-જુનાગઢ

25.ગુજરાત કોલેજની સ્થાપના ક્યારે થઇ હતી ?

જવાબ:-ઈ.સ. ૧૮૭૯

26.ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ ક્યા સ્થળે સ્થાપ્યો ?

જવાબ:-કોચરબ આશ્રમ

27.ગુજરાત યુનીવર્સીટીની સ્થાપના ક્યારે થઇ હતી ?

જવાબ:-ઈ.સ. ૧૯૪૯

28.લોથલ ક્યા જિલ્લામાં આવેલું છે ?

જવાબ:-અમદાવાદ

29.ધોળાવીરા ક્યા જિલ્લામાં આવેલું છે ?

જવાબ:-કચ્છ

30.ગિરનાર સાથે ક્યા જૈન તીર્થકરનું નામ સંકળાયેલ છે ?

જવાબ:-ઋષભદેવ

31.અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-વનરાજ ચાવડાએ

32.સોલંકી વંશના શાસકો ક્યા સંપ્રદાયના અનુયાયીઓ હતા ?

જવાબ:-શૈવ

33.મહંમદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો ?

જવાબ:-મૂળરાજ બીજો

34.અલાઉદીન ખીલજીએ કોના શાસન દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યું હતું ?

જવાબ:-કર્ણદેવ વાઘેલા

35.સોમનાથના યાત્રાળુઓ પાસેથી કયો શાસક યાત્રાવેરો ઉઘરાવતો હતો ?

જવાબ:-સિદ્ધરાજ જયસિંહ

36.ગુજરાતમાં જૈનધર્મના ફેલાવા માટે ક્યા શાસકે પ્રયાસો કર્યા હતા ?

જવાબ:-કુમારપાળ

37.સોલંકી કાળમાં કયો ધર્મ અસ્ત પામ્યો ?

જવાબ:-બૌદ્ધ

38.વિસનગર સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-વીસલદેવે

39.ધોળકા શહેરની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-લવણપ્રસાદ વાઘેલા

40.હિંમતનગરની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-અહમદશાહે

41.ગાંધીજીની હત્યા દિલ્હીમાં ક્યા સ્થળે થઇ હતી ?

જવાબ:-બિરલા ભવન

42.સ્વામી દયાનંદ સરસ્વતીએ ક્યા પુસ્તક દ્વારા ભારતમાં ક્રાંતિ ફેલાવી હતી ?

જવાબ:-સત્યાર્થ પ્રકાશ

43.“હું કૂતરાની મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં નહિ આવું” આ કોનું વિધાન છે ?

જવાબ:-ગાંધીજી

44.અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સંવત શરૂ થઇ હતી ?

જવાબ:-ઇલાહી સંવત

45.સલ્તનત યુગનું ગુજરાતનું સૌથી સમૃદ્ધ બંદર કયું હતું ?

જવાબ:-ખંભાત

46.ગુજરાતમાં મુઘલ સત્તા કોણે સ્થાપી ?

જવાબ:-અકબરે

47.શ્રી હેમચંદ્રાચાર્યના ગ્રંથનું ક્યા રાજવીએ સમ્માન કર્યું હતું ?

જવાબ:-સિદ્ધરાજ જયસિંહે

48.ગુજરાત નામ શેના પરથી પડ્યું છે ?

જવાબ:-ગુર્જર જાતિ

49.મુઘલ વંશે ગુજરાત પર કેટલા વર્ષો સુધી શાસન કર્યું ?

જવાબ:-૧૮૭ વર્ષ

50.સૌપ્રથમ રાશી અને નક્ષત્ર વાળા સિક્કાઓ કોણે બહાર પડાવ્યા હતા ?

જવાબ:-જહાંગીરે

51.ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’ ક્યાં લખ્યું હતું ?

જવાબ:-યરવડાની જેલમાં

52.સ્વતંત્ર ગુજરાત રાજ્ય ક્યારે અસ્તિત્વમાં આવ્યું ?

જવાબ:-૧ મે, ૧૯૬૦

53.ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હાથે થયું હતું ?

જવાબ:-રવિશંકર મહારાજ

54.ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

જવાબ:-મહેંદી નવાઝ જંગ

55.જુનાગઢના નવાબનું નામ શું હતું ?

જવાબ:-મહોબતખાન

56.ગુજરાત રાજ્યના પહેલા મુખ્યમંત્રી કોણ હતા ?

જવાબ:-ડો. જીવરાજ મહેતા

57.ગુજરાતમાં પંચાયત રાજની સ્થાપના ક્યારે થઇ હતી ?

જવાબ:-ઈ.સ. ૧૯૬૩

58.ગુજરાતના ક્યા મુખ્યમંત્રીનું વિમાની દુર્ઘટનામાં અવસાન થયું હતું ?

જવાબ:-બળવંતરાય મહેતા

59.મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સૌપ્રથમ ખેડૂત અંદોલન ક્યાં થયું હતું ?

જવાબ:-ખેડા

60.ગુજરાત ભીલ સેવામંડળીની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-ઠક્કરબાપા

61.ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા પ્રધાન કોણ હતા ?

જવાબ:-ઈંદુમતીબેન શેઠ

62.લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ?

જવાબ:-ગણેશ માવળંકર

63.ગાંધીજી પર ક્યા અમેરિકન ચિંતકનો વિશેષ પ્રભાવ પડ્યો હતો ?

જવાબ:-હેનરી થોરો

64.સૌરાષ્ટ્રના રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?

જવાબ:-ઉછરંગરાય ઢેબર

65.અભયઘાટ કોની સમાધિ છે ?

જવાબ:-મોરારજી દેસાઈની

66.‘વેદો તરફ પાછા વળો’ નો નારો કોણે આપ્યો હતો ?

જવાબ:-દયાનંદ સરસ્વતી

67.ગુજરાતમાં ફરજીયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કોણ હતા ?

જવાબ:-સયાજીરાવ ગાયકવાડ

68.ભારતીય ઉદ્યોગ જગતના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

જવાબ:-જમશેદજી તાતા

69.ગુજરાતના સુતરાઉ કાપડ ઉદ્યોગના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

જવાબ:-રણછોડભાઈ છોટાલાલ

70.દર્પણ એકેડમીની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-મૃણાલિની સારાભાઇ

71.અમદાવાદમાં અટીરાની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-વિક્રમ સારાભાઈએ ૧૯૪૭ માં

72.‘આદિમ જાતિ સેવા સંઘ’ ની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-ઠક્કરબાપા

73.લોકભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-મનુભાઈ પંચોળી ‘દર્શક’

75.વડનગરનું પ્રાચીન નામ શું છે ?

જવાબ:-આનર્તપુર, આનંદપુર, ચમત્કારપુર

76.ગુજરાતની અસ્મિતા શબ્દનો પ્રથમ ઉપયોગ કરનાર કોણ ?

જવાબ:-રણજીતરામ વાવાભાઈ મહેતા

77.ગુજરાતના અશોક તરીકે ક્યા રાજાને ઓળખવામાં આવે છે ?

જવાબ:-કુમારપાળ

78.ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?

જવાબ:-સરદાર વલ્લભભાઈ પટેલ

79.‘ગાંધી મરશે પણ ગાંધીવાદ નહીં’ કોનું કથન છે ?

જવાબ:-ગાંધીજી

80.લીમડીના ક્યા ક્રાંતિવીર પરદેશમાં રહીને આઝાદીની ચળવળ ચલાવતા હતા ?

જવાબ:-સરદારસિંહ રાણા

81.સારંગપુર દરવાજા બહારના ઝુલતા મિનારાઓ કોણે બંધાવ્યા હતા ?

જવાબ:-મલિક સારંગે

82.અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા કોણે શરૂ કરી હતી ?

જવાબ:-હરકુંવર શેઠાણીએ ૧૮૫૦ માં

83.રથયાત્રાની શરૂઆત કોણે કરાવી હતી ?

જવાબ:-સંત નૃસિંહદાસજીએ ઈ.સ. ૧૮૭૮ના અષાઢ સુદ-૨ ના રોજ

84.અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા ?

જવાબ:-શેઠ રણછોડલાલ છોટાલાલ

85.મીઠાનો પહેલો વહેલો સત્યાગ્રહ ગુજરાતમાં ક્યારે થયો હતો ?

જવાબ:-૧૮૪૪માં સુરતમાં દુર્ગારામ મહેતાજીના નેતૃત્વમાં

86.ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?

જવાબ:-સામંતસિંહ

87.રુદ્રમાળ બંધાવવાનું કાર્ય કોણે શરૂ કરાવ્યું હતું ?

જવાબ:-મૂળરાજ સોલંકી

88.ભીમ બાણાવાળી તરીકે કોણ ઓળખાતું હતું ?

જવાબ:-ભીમદેવ (પ્રથમ) સોલંકી

89.પાટણની ‘રાણકી વાવ’ કોણે બંધાવી હતી ?

જવાબ:-ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ

90.દેલવાડાના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

જવાબ:-વિમળશા

91.મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું ?

જવાબ:-ભીમદેવ સોલંકી (પહેલો)

92.કર્ણદેવ સોલંકીએ ક્યાંના ભીલ રાજાને હરાવ્યો હતો ?

જવાબ:-આસાવલીના રાજાને

93.જયસિંહની માતાનું નામ શું હતું ?

જવાબ:-મીનળદેવી

94.સોમનાથ મંદિરનો જાત્રાળુ વેરો કોણે બંધ કરાવ્યો હતો ?

જવાબ:-મીનળદેવીએ

95.‘સિદ્ધહેમ’ નામનો વ્યાકરણ ગ્રંથ કોણે લખ્યો હતો ?

જવાબ:-હેમચંદ્રાચાર્ય

96..ધોળકાનું મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું ?

જવાબ:-મીનળદેવીએ

97.સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું ?

જવાબ:-સિદ્ધરાજ જયસિંહ

98.કુમારપાળે કયો ધર્મ અંગીકાર કર્યો હતો ?

જવાબ:-જૈન

99.કયો સોલંકી રાજા ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાય છે ?

જવાબ:-કુમારપાળ

100.કલિકાલસર્વજ્ઞ તરીકે કોણ ઓળખાતું હતું ?

જવાબ:-હેમચંદ્રાચાર્ય

101.સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો ?

જવાબ:-ત્રિભુવનપાળ

102.ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા કોણ હતો ?

જવાબ:-કર્ણદેવ વાઘેલા

103.ગુજરાતમાં સલ્તનતકાળનો ઈતિહાસ ક્યા ગ્રંથમાંથી મળે છે ?

જવાબ:-મિરાતે અહમદી

104.અમદાવાદની જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?

જવાબ:-અહમદશાહે

105.મહંમદ બેગડાનું મૂળ નામ શું હતું ?

જવાબ:-ફતેહખાં

106.મહંમદ બેગડાએ જુનાગઢના ક્યા રાજાને હરાવ્યો હતો ?

જવાબ:-રા’માંડલિક

107.મહેમદાવાદનો ભમ્મરિયો કુવો કોણે બંધાવ્યો હતો ?

જવાબ:-મહંમદ બેગડાએ

108.‘મિરાતે અહમદી’ ના લેખક કોણ હતા ?

જવાબ:-મિરઝા મહોમ્મદ

109.ગુજરાતમાં સલ્તનત શાસનનો સત્તાવાર અંત કોણે કર્યો હતો ?

જવાબ:-અકબરે

110.અમદાવાદનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો ?

જવાબ:-શાહજહાંએ

111.અમદાવાદનો મોતીશાહી મહેલ હાલ ક્યા નામે ઓળખાય છે ?

જવાબ:-સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક

112.ગુજરાતના હિંદુઓ પર જજિયા વેરો કોણે નાખ્યો હતો ?

જવાબ:-ઔરંગઝેબે

113.મહંમદ બેગડાએ કયું શહેર વસાવ્યું હતું ?

જવાબ:-ચાંપાનેર

114.ગાંધીજીના રહસ્ય મંત્રી કોણ હતા ?

જવાબ:-મહાદેવભાઈ દેસાઈ

115.ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઇ હતી ?

જવાબ:-ઈ.સ. ૧૯૨૦

116.નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું ?

જવાબ:-ઇન્દુલાલ યાજ્ઞિકે

117.‘કરેંગે યા મરેંગે’ સૂત્ર કોણે આપ્યું હતું ?

જવાબ:-ગાંધીજી

118.મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી હલ ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ:-નવસારી

119.લાલ કિલ્લાનો ઐતિહાસિક મુકદમો લડનાર ગુજરાતી વકીલ કોણ હતા ?

જવાબ:-ભુલાભાઈ દેસાઈ

120.ગાંધીજીએ રાજકોટની કઈ સ્કુલમાં પોતાનું શિક્ષણ લીધું હતું ?

જવાબ:-આલ્ફ્રેડ સ્કૂલ

121.ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ ક્યારે ચલાવવામાં આવ્યો હતો ?

જવાબ:-ઈ.સ. ૧૯૨૨

122.ગાંધીજીએ કઈ તારીખે દરિયાકિનારેથી ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો ?

જવાબ:-૬ એપ્રિલ, ૧૯૩૦

123.ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી ?

જવાબ:-બીજી

124.બીજી ગોળમેજી પરિષદ ક્યાં યોજાઈ હતી ?

જવાબ:-લંડન

125.ગાંધીજીએ દાંડીકુચની શરૂઆત ક્યારે કરી હતી ?

જવાબ:-૧૨ માર્ચ, ૧૯૩૦

126.ગાંધીજીએ કેટલા સાથીઓ સાથે દાંડીકુચનો પ્રારંભ કર્યો હતો ?

જવાબ:-૭૮

127.બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?

જવાબ:-ઈ.સ. ૧૯૨૮

128.ક્યા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને ‘સરદાર’ નું બિરૂદ મળ્યું હતું ?

જવાબ:-બારડોલી

129.ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા ?

જવાબ:-ઈ.સ. ૧૯૧૫

130.બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?

જવાબ:-દરબાર ગોપાળદાસ

131.બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?

જવાબ:-વલ્લભભાઈ પટેલ

132.ગાંધીજી ક્યા સાપ્તાહિકો ચલાવતા હતા ?

જવાબ:-‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’

133.ગાંધીજી કોને પોતાની ‘હિમાલય જેવડી ભૂલ’ ગણતા હતા ?

જવાબ:-લોકોને સવિનય કાનૂનભંગમાં ભાગ લેવાનું કહેવાને

134.સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો ?

જવાબ:-ટંકારામાં

135.ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

જવાબ:-શ્રીમદ્ રામચંદ્ર

136.શ્રીમદ્ રામચંદ્રનો જન્મ ક્યા ગામમાં થયો હતો ?

જવાબ:-વવાણીયા

137.ગાંધીજીને રેંટીયાની ભેટ કોણે આપી હતી ?

જવાબ:-ભરૂચની ગંગાબાઈ નામની મહિલાએ

138.મહાગુજરાત અંદોલનની વિરુદ્ધમાં ઉપવાસ પર કોણ ઊતર્યું હતું ?

જવાબ:-મોરારજી દેસાઈ

139.સદાચાર સમિતિની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-ગુલઝારીલાલ નંદા

140.ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-સ્વામી વિદ્યાનંદજી

141.ગાંધીનગરના નિર્માણમાં ભાગ ભજવનાર શિલ્પી કોણ છે ?

જવાબ:-બાલકૃષ્ણ દોશી

142.ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

જવાબ:-રણછોડભાઈ ઉદયરામ

143.ગુજરાતમાં ભવાઈના પ્રણેતા કોણ છે ?

જવાબ:-અસાઈત

144.ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?

જવાબ:-ઈ.સ. ૧૯૧૭

145.અટીરાની સ્થાપના ક્યારે થઇ હતી ?

જવાબ:-ઈ.સ. ૧૯૪૭

146.ગિરનારમાં આવેલ સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું ?

જવાબ:-રુદ્રદામા

147.ગિરનારની તળેટીમાં અશોક સિવાય બીજા ક્યા શાસકોએ શિલાલેખો કોતરાવ્યા હતા ?

જવાબ:-રુદ્રદામા અને સ્કંદગુપ્ત

148.રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો કઈ ભાષામાં છે ?

જવાબ:-સંસ્કૃત

149.મૌર્ય, ક્ષપત્ર અને ગુપ્ત વંશમાં ગુજરાતની રાજધાની કઈ હતી ?

જવાબ:-ગિરિનગર

150.ગુજરાતનો વિગતવાર આધારભૂત ઈતિહાસ ક્યા સ્થળથી શરૂ થાય છે ?

જવાબ:-ભટ્ટાર્કના વલભી શાસનથી

151.મૈત્રક કાળમાં વલભી ક્યા ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું ?

જવાબ:-બૌદ્ધ

152.મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો ?

જવાબ:-શિલાદિત્ય સાતમો

153.ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની કઈ હતી ?

જવાબ:-ભિન્નમાલ

154.કયો પ્રદેશ ‘ગુર્જર’ દેશ તરીકે ઓળખાતો હતો ?

જવાબ:-ભિન્નમાલની આજુબાજુનો પ્રદેશ

155.ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યા ગ્રંથમાં આવે છે ?

જવાબ:-હર્ષચરિત

156.પ્રતિહાર શાસનનો પ્રતાપી રાજા કોણ હતો ?

જવાબ:-વત્સરાજ

157.પ્રતિહાર શાસનના અંત પછી ક્યા વંશનું શાસન સ્થપાયું ?

જવાબ:-ચાવડા વંશ

158.ગુર્જર દેશમાં ક્યા ત્રણ વિસ્તારોનો સમાવેશ થતો હતો ?

જવાબ:-આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ

159..નગીનાવાડી કોણે બંધાવી હતી ?

જવાબ:-કુતુબુદીન શાહ

160.અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી ક્યા શાસકે આપી હતી ?

જવાબ:-જહાંગીર

161.અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી ?

જવાબ:-સુરત

162.ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ઉત્સવો ઉજવવાની મનાઈ કોણે ફરમાવી હતી ?

જવાબ:-ઔરંગઝેબ

163.ભૂજમાં ફર્ગ્યુસન મ્યુઝિયમની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-રાવ ખેંગારજીએ

164.મૌર્ય શાસનકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી ?

જવાબ:-ગિરિનગર હાલનું જુનાગઢ

165.ગુજરાતમાં મુઘલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-અકબર

166.ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો ?

ઈ.સ ૧૭૫૭

167.ગુજરાતમાં પેશવાઓનું શાસન ક્યા વિસ્તારમાં હતું ?

જવાબ:-મહી નદીની ઉત્તરનો પ્રદેશ

168.અમૃતવર્ષિણી વાવ અમદાવાદમાં ક્યાં આવેલી છે ?

જવાબ:-પાંચકૂવા દરવાજા પાસે

169.અમદાવાદમાં પ્રથમ કાપડની મીલ કોણે શરૂ કરી હતી ?

જવાબ:-રણછોડલાલ છોટાલાલ શાહે ૧૮૬૧ માં

170.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પહેલું વહેલું અધિવેશન અમદાવાદમાં ક્યારે યોજાયું હતું ?

જવાબ:-ઈ.સ. ૧૯૦૨

171.અમદાવાદમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૯૨૦ના અધિવેશનમાં પ્રમુખ સ્થાને કોણ હતું ?

જવાબ:-સુરેન્દ્રનાથ બેનરજી

172.નહેરુપુલનું ઉદઘાટન કોના હાથે થયું હતું ?

જવાબ:-પંડિત જવાહરલાલ નહેરુ

173.હુમાયુએ અમદાવાદ પર કેટલા સમય સુધી શાસન ચલાવ્યું ?

જવાબ:-નવ માસ

174.અમદાવાદમાં પહેલી વહેલી ગુજરાતી નિશાળ ક્યારે સ્થપાઈ હતી ?

જવાબ:-ઈ.સ. ૧૮૨૬

175.ભારતમાં કુલ ૫૬૨ દેશી રાજ્યોમાં ગુજરાતના કેટલા રાજ્યોનો સમાવેશ થતો હતો ?

જવાબ:-૩૬૬

176.સૌરાષ્ટ્રમાં પહેલી વહેલી કોલેજ ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી હતી ?

જવાબ:-૧૮૮૪ માં શામળદાસ કોલેજ, ભાવનગરમાં

177.ગુજરાતમાં પેશવાઈ શાસનનો અંત ક્યારે આવ્યો ?

જવાબ:-ઈ.સ. ૧૮૧૮

178.૧૮૫૭ના સંગ્રામના ક્યા નેતાએ છોટા ઉદેપુર પર કબજો જમાવ્યો હતો ?

જવાબ:-તાત્યા ટોપે

179.ગુજરાતમાં ‘સ્વતંત્રતા’ નામનું અખબાર કોણ ચલાવતું હતું ?

જવાબ:-ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ

180.ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા ?

જવાબ:-શ્રી અરવિંદ ઘોષ

181.લંડનમાં ‘ધી ઇન્ડિયન સોસિયાલોજિસ્ટ’ નામનું માસિક કોણે શરૂ કર્યું હતું ?

જવાબ:-શ્યામજી કૃષ્ણ વર્મા

182.ગુજરાતના ક્યા નેતા ‘ડુંગળીચોર’ તરીકે ઓળખાતા હતા ?

જવાબ:-મોહનલાલ પંડ્યા

183.સમ્રાટ અશોકના કેટલા શિલાલેખો જૂનાગઢમાંથી મળી આવે છે ?

જવાબ:-૧૪

184.મહાગુજરાત અંદોલનની આગેવાની કોણે લીધી હતી ?

જવાબ:-ઇન્દુલાલ યાજ્ઞિક

185.સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ?

જવાબ:-બારડોલી

186.પારસીઓ ગુજરાતના ક્યા બંદરે ઉતર્યા હતા ?

જવાબ:-સંજાણ

187..હડપ્પન સંસ્કૃતિના અવશેષો અમદાવાદ જિલ્લામાંથી ક્યા સ્થળેથી મળી આવ્યા છે ?

જવાબ:-લોથલ

188.ગાંધીજીની હત્યા થઇ તે દિવસે કયો વાર હતો ?

જવાબ:-શુક્રવાર

189.અમદાવાદની પ્રસિદ્ધ જમા મસ્જિદ કોણે બંધાવી હતી ?

જવાબ:-અહમદશાહે

190.મહંમદ બેગડાની રાજધાની કઈ હતી ?

જવાબ:-ચાંપાનેર

191.સલ્તનત યુગનું ગુજરાતનું કયું બંદર સમૃદ્ધ હતું ?

જવાબ:-ખંભાત

192.ગુજરાતના મૂકસેવક તરીકે કોણ ખ્યાતિ પામ્યું છે ?

જવાબ:-રવિશંકર મહારાજ

193.કર્ણાવતી નગર કોણે બંધાવ્યું હતું ?

જવાબ:-કર્ણદેવ વાઘેલાએ

194.આઝાદી પછી ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો ?

જવાબ:-કચ્છ

195.મૈત્રક યુગમાં ગુજરાતની કઈ વિદ્યાપીઠની તુલના નાલંદા વિદ્યાપીઠ સાથે થતી હતી ?

જવાબ:-વલભી

196.રાવ રણમલનું શાસન ક્યાં હતું ?

જવાબ:-ઇડર

197.વડોદરાના છેલ્લા રાજા કોણ હતા ?

જવાબ:-પ્રતાપસિંહ ગાયકવાડ

198.પાલનપુર કોણે વસાવ્યું હતું ?

જવાબ:-આબુના પરમાર વંશના રાજવી – પ્રહલાદન દેવે

199.અડાલજની વાવ કોણે બંધાવી હતી ?

જવાબ:-રૂડાબાઈએ સંવત ૧૪૯૯માં

200.ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

જવાબ:-૧ મે, ૧૯૬૦

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ફેબ્રુઆરી દિન વિશેષ