ગુજરાતનો ઈતિહાસ

1.ગુજરાતને ગુજરાત નામ ક્યા શાસનકાળ દરમિયાન મળ્યું ?

જવાબ:- સોલંકી યુગ

2.મહંમદ ગઝનવીની સોમનાથ પર ચઢાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું ?

જવાબ:-ભીમદેવ પહેલો

3.સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય શાસક કોણ ?

જવાબ:-સિદ્ધરાજ જયસિંહ

4.કુમારપાળ ક્યા ધર્મ પ્રત્યે વિશેષ પ્રીતિ ધરાવતો હતો ?

જવાબ:-જૈન

5.સોલંકી વંશમાં સૌથી વધુ લાંબા સમય સુધી શાસન ક્યા રાજાએ કર્યું ?

જવાબ:-ભીમદેવ બીજો

6.સોલંકી વંશ પછી કોનું શાસન સ્થપાયું ?

જવાબ:-વાઘેલા વંશ

7.વાઘેલા વંશનો સ્થાપક કોણ હતો ?

જવાબ:-વિસલદેવ

8.વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?

જવાબ:-કર્ણદેવ વાઘેલા

9.અલાઉદીન ખીલજીએ કોના શાસનકાળ દરમિયાન ગુજરાત પર ચઢાઈ કરી ?

જવાબ:-કર્ણદેવ વાઘેલા

10.અહમદશાહે અમદાવાદ સિવાય બીજા ક્યા શહેરની સ્થાપના કરી હતી ?

જવાબ:-અહમદનગર હાલનું હિંમતનગર

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ