ફોજદારી કાર્યરીતિ સંહિતા (CRPC )ક્રીમીનલ પ્રોસિજર કોડ

            CRPC IMP કલમો

(1)ક્રીમીનલ પ્રોસિજર કોડ કયારે અમલમાં આવ્યો
જવાબ:-C.R.P.C 01/04/1974 થી અમલમાં આવ્યો

(2)સી.આર.પી.સી ની કઈ કલમ મુજબ  24 કલાક સુધી વ્યક્તિને અટકાયતમાં રાખી શકાય નહીં?
જવાબ:-CRPC કલમ 57

(3)જો તપાસ 24 કલાકમાં પૂરી થાય તેમ ન હોય તો CRPC ની કઈ કલમ મુજબ રિમાન્ડની માંગણી કરી શકાય છે?
જવાબ:-CRPC કલમ 167

(4)સી.આર.પી.સી કઈ કલમ હેઠળ
જાહેર સુલેહ- શાંતિને નુકસાન કરતું ટોળું કે કાયદા વિરુદ્ધની મંડળી બેકાબૂ બનતા આર્મીના હવાલે કરવામાં આવે છે?
જવાબ:-સી.આર.પી.સી કલમ 129

(5)જયારે પોલીસ સ્ટેશન અધિકારીને(પી.એસ.ઓ) નોન-કોગ્નિઝેબલ ગુનાની ખબર મળે તો પોલીસ સ્ટેશન અધિકારીએ તેને નોંધી ખબર આપનારને મેજીસ્ટ્રેટ પાસે મોકલવો તેવી જોગવાઈ સી.આર.પી.સી ની કઈ કલમમાં કરવામાં આવી છે?
જવાબ:- સી.આર.પી.સી કલમ 155

(6)ક્રીમીનલ પ્રોસિજર કોડ અધિનિયમ 1973ની જોગવાઈ અનુસાર જડતીનું વોરંટ કોણ કાઢી શકે છે?
જવાબ:-કોઈપણ ન્યાયાલય

(7)એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે?
જવાબ:-રાજય સરકાર

(8)કોઈ ગુનો એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અગર જયુડિશિયલ મેજીસ્ટ્રેટની હાજરીમાં થયેલ હોય તો તેઓ ગુનો કરનાર વ્યક્તિને પકડી શકે છે. આ સત્તા ક્રીમીનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં આપવામાં આવે છે?
જવાબ:-સી.આર.પી.સી કલમ 44

(9)સેશન્સ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ મૃત્યુદંડની કાર્યવાહીની પુષ્ટિ હેતુ માટે કયા રજૂ કરવામાં આવે છે?
જવાબ:-વડી અદાલત સમક્ષ

(10)ક્રીમીનલ પ્રોસિજર કોડ 1973 નીચે તપાસનો પાયો નીચેનામાંથી કોને કહેવાય?
જવાબ:-પ્રથમ માહિતી  રિપોર્ટ(FIR)

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ