ગુજરાતનો ઈતિહાસ વન લાઈનર
🌼આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે કોણે ફરજ બજાવી હતી ?
જવાબ:-સરદાર વલ્લભભાઈ પટેલ
🌼ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ ક્યા નવા જિલ્લાની સ્થાપના કરવામાં આવી હતી ?
જવાબ:-વલસાડ
🌼તરણેતર મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો ?
જવાબ:-લખતરના રાજવી કરણસિંહજી
🌼રાજકોટ શહેરની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-ઠાકોર વિભાજીએ
🌼જામનગરની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-જામ રાવળે
🌼લોથલનો શો અર્થ થાય છે ?
જવાબ:-મૃત માનવીનો ટેકરો
🌼આણંદ શહેરની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-આનંદગીર ગોસાઈ
🌼નર્મદા બંધ બાંધવાની યોજના ક્યા કમિશને ઘડી હતી ?
જવાબ:-ખોસલા કમિશને
🌼નર્મદા બંધનું ખાતમુહૂર્ત કોણે કર્યું હતું ?
જવાબ:-પં. જવાહરલાલ નહેરુ
🌼ગુજરાતની પ્રથમ વિધાનસભામાં કેટલા સભ્યો હતા ?
જવાબ:-૧૩૨
🌼ગુજરાતમાં સૌપ્રથમ અંગ્રેજી શાળા ક્યાં શરૂ થઇ હતી ?
જવાબ:-સુરત, ઈ.સ. ૧૮૪૨માં
🌼લોથલ એ કઈ નદી પર આવેલું સમૃદ્ધ બંદર હતું ?
જવાબ:-ભોગાવો
🌼તાત્યા ટોપેએ ગુજરાતનો કયો પ્રદેશ કબજે કર્યો હતો ?
જવાબ:-છોટા ઉદેપુર
🌼એ. એમ. ટી. એસ. બસની શરૂઆત ક્યારે થઈ હતી ?
જવાબ:-પહેલી એપ્રિલ, ૧૯૪૭
🌼ગુજરાત રાજ્ય ખાદી ગ્રામઉદ્યોગ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી હતી ?
જવાબ:-૧૯૬૦
🌼અમદાવાદમાં ટપાલ સેવાનો આરંભ ક્યારે થયો હતો ?
જવાબ:-૧૮૩૮
🌼હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું ?
જવાબ:-ચાંગદેવ
🌼દાંડીકુચ શરૂ થતા પહેલા સરદાર પટેલની ધરપકડ ક્યા ગામેથી કરવામાં આવી હતી ?
જવાબ:-રાસ
🌼બારડોલી સત્યાગ્રહ શા માટે થયો હતો ?
જવાબ:-બારડોલી તાલુકામાં મહેસૂલમાં ૨૨ ટકાનો વધારો કર્યો હોવથી
🌼ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?
જવાબ:-સરોજીની નાયડુ
🌼ઔરંગઝેબનો જન્મ ગુજરાતના ક્યા જિલ્લામાં થયો હતો ?
જવાબ:-દાહોદ
🌼જુનાગઢ પરના અશોકના શિલાલેખો કઈ ભાષામાં કોતરવામાં આવ્યા છે ?
જવાબ:-પાલી
🌼અમદાવાદને ધૂળિયું શહેર તરીકે કોણે ઓળખાવ્યું હતું ?
જવાબ:-જહાંગીર
🌼માર્કો પોલોએ તેના પ્રવાસ વર્ણનમાં ગુજરાતના ક્યા તીર્થસ્થાનનો ઉલ્લેખ કર્યો છે ?
જવાબ:-સોમનાથ
🌼ચન્દ્રગુપ્ત મૌર્યે જુનાગઢમાં કયું તળાવ બંધાવ્યું છે ?
જવાબ:-સુદર્શન
🌼કાંકરિયા પહેલા ક્યા નામે ઓળખાતું હતું ?
જવાબ:-હૌજે કુતુબ
🌼મોઢેરાનું સૂર્યમંદિર ક્યાં રાજાના શાસનકાળ દરમિયાન સ્થપાયું હતું ?
જવાબ:-ભીમદેવ સોલંકી પહેલો
🌼સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ લાખા બાવળ ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ:-જામનગર
🌼ચીની મુસાફર હુ એન સંગે કોના શાસનકાળમાં ગુજરાતની મુલાકાત લીધી હતી ?
જવાબ:-ધ્રુવસેન બીજો
🌼સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-મૂળરાજ સોલંકી (પ્રથમ)
🌼વિશ્વનું સૌપ્રથમ બંદર ક્યા સ્થળેથી મળી આવ્યું છે ?
જવાબ:-લોથલ
🌼અડાલજની વાવ કોણે બંધાવી હતી ?
જવાબ:-રૂડાબાઈએ
🌼રાજકોટ જિલ્લામાંથી ક્યા સ્થળેથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે ?
જવાબ:-રોજડી
🌼સમ્રાટ અશોકના ગિરનારમાં આવેલ શિલાલેખો કઈ લીપીમાં લખાયેલા છે ?
જવાબ:-બ્રાહ્મી
🌼કર્ણસાગર સરોવર કોણે બંધાવ્યું હતું ?
જવાબ:-કર્ણદેવ સોલંકી
🌼ક્યા સોલંકી વંશના રાજાએ રાજ્યમાં જીવ હિંસાની મનાઈ ફરમાવી હતી ?
જવાબ:-કુમારપાળ સોલંકી
🌼અણહિલવાડ પાટણના ચાવડા વંશનો અંત કોના દ્વારા આવ્યો ?
જવાબ:-મૂળરાજ સોલંકી
Comments
Post a Comment