પોલીસ ભરતી માટે ઉપયોગી
💥ભારતમાં માસૂમ બાળાઓ,કિશોરીઓ તથા મહિલાઓ પર વધતી જતી બળાત્કારની ઘટના રોકવા માટે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા તાજેતરમાં ક્યો વટહુકમ લાવવામાં આવ્યો છે?
જવાબ:- ધ ક્રિમીનલ લો (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ,2018
💥રાષ્ટ્રપતિશ્રી દ્વારા "ધ ક્રિમીનલ લો(એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ,2018 " નામનો વટહુકમ કયારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે?
જવાબ:- 21 એપ્રિલ 2018
💥"ધ ક્રિમીનલ લો (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ,2018"
અંતર્ગત 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કારના કિસ્સામાં કઈ સજાની જોગવાઈ કરવામાં આવી છે?
જવાબ:- ઓછામાં ઓછી 20 વર્ષની કેદ અથવા આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા અને દંડ
💥ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા આપવામાં આવી છે?
જવાબ:- અનુચ્છેદ-123
💥ભારતમાં સૌપ્રથમ કયા રાજયની સરકાર દ્વારા બાળકી પર બળાત્કારના કિસ્સામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે?
જવાબ:- મધ્યપ્રદેશ
Comments
Post a Comment